30 - કડવું ૧૮ મું - બ્રહ્મવસ્તુ નિરૂપણ -૨ / અખેગીતા (અખો)
રાગ ધન્યાશ્રી
જે પ્રભુ વાણીયે ન કહેવાયજી,પામણહારો સેહેજે પલાયજી;
અગમઅગોચરજેહનેવેદગાયજી, અટપટો આશય સેહેજે સમજાયજી.
પૂર્વછાયા
સેહેજમાં સાધન લાગે, અણલિંગી અનુભવ એહવો;
વંધ્યાસુત જેમ સરાહે, અચવ્યો રસ પીવો નવો. ૧
મુખવિના રસપાન કરવું, એહવું તે બ્રહ્મજ્ઞાન;
શ્રવણવિના તે શબ્દ સુણવો, નેત્રવોહનું જેમ ધ્યાન. ૨
વસ્તુગતે સેવક નહિ, અને સ્વામીને નહિ રૂપ;
ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ નહિ, એહવું તે ધામ અનુપ. ૩
જેહને વર્ણ વેષ ન રૂપ મુદ્રા, તેહતણા સર્વ રંગ;
છાયા માયા નહિ જેહને, તેહના જાણો સર્વ ઢંગ. ૪
સ્થાન માન જેહને નહિ, અકલ રૂપ અપાર;
તેવડે એ સર્વ શોભે, આપે જાણણહાર. ૫
વાણી માંહે જેહ ન આવે, તેહતણી સર્વ વાણ્ય;
નેતિ નેતિ કરી સો કહીયે, તેહની જાણે સર્વ જાણ. ૬
કૂટસ્થ આત્મા બ્રહ્મ કૈવલ્ય, તેહનો સર્વ પસાર;
જેહને વિશેષણ એકે ન લાગે, તે વિલસી રહ્યો સંસાર. ૭
જે કહેવોએ કહેવાય નહિ, શબ્દાતીત સદાય;
અનિર્વચની વચન બોલે, તે નાવે વાણીમાંય. ૮
એ તો પ્રીછણ્હાર વિના પ્રીછવું, પદાર્થ-વોહોણી જે પ્રીછ;
આપે આપનું જે નિરીક્ષણ, ઇચ્છા-વોણી જે ઇચ્છ. ૯
કહે અખો એ વાણ્ય-વર્જિત,નિજસ્ફુર્ણ મહંતને;
એ સમસ્યા તેણે લહી, જેણે સેવ્યા હરિ-ગુરુ-સંતને. ૧૦
________________________________________
૧ પલાયજી = દૂર થઇ જાય.
૨ સરાહે = વખાણે.
૩ અચવ્યો = નહિ અનુભવેલો.
૪ નેત્રવોહનું = આંખો વિના.
૫ વસ્તુગતે = વસ્તુતાએ.
૬ ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ = ગ્રહણ કરવા યોગ્ય ને ગ્રહણ કરનાર એવો ભાવ.
૭ મુદ્રા = ચિહ્ન.
૮ નેતિ = આ આત્મા નહિ.
૯ કૂટસ્થ = અવિકારી.
૧૦ કૈવલ્ય = માયા ને માયાનાં કાર્યોથી રહિત.
૧૧ પ્રીછણ્હાર વિના = જાણનાર વિના.
૧૨ પદાર્થ-વોહોણી = વસ્તુ વિના.
૧૩ નિરીક્ષણ = અવલોકન.
૨ સરાહે = વખાણે.
૩ અચવ્યો = નહિ અનુભવેલો.
૪ નેત્રવોહનું = આંખો વિના.
૫ વસ્તુગતે = વસ્તુતાએ.
૬ ગ્રાહ્ય-ગ્રાહક-ભાવ = ગ્રહણ કરવા યોગ્ય ને ગ્રહણ કરનાર એવો ભાવ.
૭ મુદ્રા = ચિહ્ન.
૮ નેતિ = આ આત્મા નહિ.
૯ કૂટસ્થ = અવિકારી.
૧૦ કૈવલ્ય = માયા ને માયાનાં કાર્યોથી રહિત.
૧૧ પ્રીછણ્હાર વિના = જાણનાર વિના.
૧૨ પદાર્થ-વોહોણી = વસ્તુ વિના.
૧૩ નિરીક્ષણ = અવલોકન.
0 comments
Leave comment