31 - મોરારિબાપુએ કીધું છે એટલે... / મનોહર ત્રિવેદી
મોરારિબાપુએ કીધું છે એટલે... કીધું છે એટલે....
કીધું છે એટલે જ જીવે છે
નકર, જીવવાથી મનિયો બઉ બીવે છે
બીજું તો સમજ્યા કે હોય મારા ભાય
આમ શ્વાસમાંયે ટેભા ને ટાંકા ?
ગાજ-બટન ટાંકતાં આ ટેરવાં વીંધાય
અને છાતીમાં ઊઠે સબાકા ?
જેમ થીંગડાંનભર ઝબ્ભામાં નટિયો મેરાઈ જાત તોડીને
લુગડાંવ સીવે છે....
ચારેપા ભર્યુંભર્યું ઉઘાડું આભ
છતાં નીરખે ના ઊઘાડી આંખે
પંખી પણ જાણે છે : ઊડવું જો હોય તો
ઊડવાનું પોતાની પાંખે
પગ પાસે છલકાતાં શીતળ તળાવ : હોય તરસ્યા જે
એ જ એને પીવે છે
*
૨૬-૦૨-૨૦૦૩
કીધું છે એટલે જ જીવે છે
નકર, જીવવાથી મનિયો બઉ બીવે છે
બીજું તો સમજ્યા કે હોય મારા ભાય
આમ શ્વાસમાંયે ટેભા ને ટાંકા ?
ગાજ-બટન ટાંકતાં આ ટેરવાં વીંધાય
અને છાતીમાં ઊઠે સબાકા ?
જેમ થીંગડાંનભર ઝબ્ભામાં નટિયો મેરાઈ જાત તોડીને
લુગડાંવ સીવે છે....
ચારેપા ભર્યુંભર્યું ઉઘાડું આભ
છતાં નીરખે ના ઊઘાડી આંખે
પંખી પણ જાણે છે : ઊડવું જો હોય તો
ઊડવાનું પોતાની પાંખે
પગ પાસે છલકાતાં શીતળ તળાવ : હોય તરસ્યા જે
એ જ એને પીવે છે
*
૨૬-૦૨-૨૦૦૩
0 comments
Leave comment