105 - આંસુ (મોનોઇમેજ) / મનોહર ત્રિવેદી
આંસુ નથી સચવાતાં
તો અન્યને શી રીતે
સાચવીશ ?
*
આંખો અંધ હોય,
આંસુ નહીં,
એનો મારગ એને
આપમળે મળી જાય છે
*
જેના છાપરાનું છિદ્ર
ચૂવે
તે દરિદ્ર...
આંસુ ચૂવે ત્યારે ?
*
આંસુ :
સૃષ્ટિનું
આદિ આશ્ચર્યવિરામ !
*
માછલીની આંખમાંથી
સરતાં આંસુની
જાણ સમુદ્રને ન હોય
તો કોને હોય ?
*
આંસુ લુછાય
કારણ ન પુછાય
*
આંસુ છે
જાળ પણ
આળ પણ
એમાંથી છૂટવું સરળ નથી
*
ખરખરો :
રક્તદાનશિબિર
જેવો જ અશ્રુદાનશિબિર
*
૧૬-૧૨-૨૦૦૮ / મંગળ
તો અન્યને શી રીતે
સાચવીશ ?
*
આંખો અંધ હોય,
આંસુ નહીં,
એનો મારગ એને
આપમળે મળી જાય છે
*
જેના છાપરાનું છિદ્ર
ચૂવે
તે દરિદ્ર...
આંસુ ચૂવે ત્યારે ?
*
આંસુ :
સૃષ્ટિનું
આદિ આશ્ચર્યવિરામ !
*
માછલીની આંખમાંથી
સરતાં આંસુની
જાણ સમુદ્રને ન હોય
તો કોને હોય ?
*
આંસુ લુછાય
કારણ ન પુછાય
*
આંસુ છે
જાળ પણ
આળ પણ
એમાંથી છૂટવું સરળ નથી
*
ખરખરો :
રક્તદાનશિબિર
જેવો જ અશ્રુદાનશિબિર
*
૧૬-૧૨-૨૦૦૮ / મંગળ
0 comments
Leave comment