6 - જાગ કમળાપતિ ! હજી કાં સૂઈ રહ્યો ? / નરસિંહ મહેતા
રાગ કેદારો
‘જાગ કમળાપતિ ! હજી કાં સૂઈ રહ્યો ? સેજ રામા તાણી આજ ભાવી ?
વાર લાગે ઘણી, લાજે જાયે હણી , પછે શું, કૃષ્ણજી ! કરશો આવી ? ૧
મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા ! તુંને લાજ ના’વે ?
દાસ-ઉપહાસ થશે, લાજ તારી જશે, પછે તુંને, વહાલાજી ! કોણ ધ્યાશે ? ૨
ઉધડકી ઊઠિયા સેજથી શ્રીહરિ, ઊઠી કમળા રહ્યાં હાથ જોડી,
ઉધડકી ઊઠિયન કોણ બડભાગી આ ? સાર, પ્રભુ ! તેની કરોને દોડી. ૩
‘નરસૈંયો નાગર ભક્ત છે માહરો, પ્રાણ થકી અધિક, તે નિશ્વે જાણો,
જોઉં વેગે કરી, હૂંડી પાછી ફરી, લોક માંહે કરું મુજ સમાણો. ૪
વણિક થયો વિઠ્ઠલો, શેઠ થયો શામળો, વાણોતર આઠ લીધા છે સાથે,
કુંડળ કારણ ને ચરણ છે મોજડી, વીંટી ને વેલિયાં પહેર્યા હાથે. ૫
શામળું અંગ તે અતિઘણું ઓપતું, શોભતી લટકતી ચાલે ચાલે,
તીરથવાસીઓ મન માંહે સંકોચિયા, સંમુખ શેઠને રહ્યા રે ભાળે. ૬
‘આ તો અપૂરવ પુરુષ દીસે ભલો, નાણાવટી માંહે સાર અંકે,
ક્યમ કરી પૂછીએ વાત ને જાતને ? આપણ કેમ બોલાય રંકે ? ૭
અંતરજામીએ જાણી છે વારતા, શ્રીમુખ બોલિયા મધુર વાણી :
‘કોણ ભાઈઓ ! તમો ? શેઠ શામળ અમો, અમ સરખું કાંઈ કહેજો જાણી.’ ૮
ધાઈ ચરણે ઢળ્યા, શેઠ શામળ મળ્યા : ‘ધન્ય અમ ભાગ્ય તે ચાલી આવ્યા,
નરસૈંયે નાગરે ગઢ થકી મોકલ્યા, પત્ર હૂંડીનું લખાવી લાવ્યા.’ ૯
‘જાગ કમળાપતિ ! હજી કાં સૂઈ રહ્યો ? સેજ રામા તાણી આજ ભાવી ?
વાર લાગે ઘણી, લાજે જાયે હણી , પછે શું, કૃષ્ણજી ! કરશો આવી ? ૧
મેલ મમ નાથને, મ ભર તું બાથને, કાં રે કમળા ! તુંને લાજ ના’વે ?
દાસ-ઉપહાસ થશે, લાજ તારી જશે, પછે તુંને, વહાલાજી ! કોણ ધ્યાશે ? ૨
ઉધડકી ઊઠિયા સેજથી શ્રીહરિ, ઊઠી કમળા રહ્યાં હાથ જોડી,
ઉધડકી ઊઠિયન કોણ બડભાગી આ ? સાર, પ્રભુ ! તેની કરોને દોડી. ૩
‘નરસૈંયો નાગર ભક્ત છે માહરો, પ્રાણ થકી અધિક, તે નિશ્વે જાણો,
જોઉં વેગે કરી, હૂંડી પાછી ફરી, લોક માંહે કરું મુજ સમાણો. ૪
વણિક થયો વિઠ્ઠલો, શેઠ થયો શામળો, વાણોતર આઠ લીધા છે સાથે,
કુંડળ કારણ ને ચરણ છે મોજડી, વીંટી ને વેલિયાં પહેર્યા હાથે. ૫
શામળું અંગ તે અતિઘણું ઓપતું, શોભતી લટકતી ચાલે ચાલે,
તીરથવાસીઓ મન માંહે સંકોચિયા, સંમુખ શેઠને રહ્યા રે ભાળે. ૬
‘આ તો અપૂરવ પુરુષ દીસે ભલો, નાણાવટી માંહે સાર અંકે,
ક્યમ કરી પૂછીએ વાત ને જાતને ? આપણ કેમ બોલાય રંકે ? ૭
અંતરજામીએ જાણી છે વારતા, શ્રીમુખ બોલિયા મધુર વાણી :
‘કોણ ભાઈઓ ! તમો ? શેઠ શામળ અમો, અમ સરખું કાંઈ કહેજો જાણી.’ ૮
ધાઈ ચરણે ઢળ્યા, શેઠ શામળ મળ્યા : ‘ધન્ય અમ ભાગ્ય તે ચાલી આવ્યા,
નરસૈંયે નાગરે ગઢ થકી મોકલ્યા, પત્ર હૂંડીનું લખાવી લાવ્યા.’ ૯
0 comments
Leave comment