1 - પ્રણમું પ્રેમે પરિબ્રહ્મ પુરુષોત્તમને / નરસિંહ મહેતા
રાગ રામગ્રી
પ્રણમું પ્રેમે પરિબ્રહ્મ પુરુષોત્તમને, દાસની વીનતી રુદે ધરજો,
આજ સમો, પ્રભુ ! આકરો આવિયો, નિજ ચરણ-શરણ-સંભાળ કરજો. ૧
વિવિધ લીલા મુનિજંન-મન-મોહિની, મહિમા અપાર તુજ કો ન જાણે,
રવિ-શશી-ઇન્દ્ર ને ઇસ-અજ અનુસરે, નિગમ, નારદ ને શરદ વખાણે. ૨
સંત સર્વજ્ઞ કહે : ધન્ય તું, શામળા ! તાહરે સંત છે પ્રાણ-તાલે,
જળચરાં જળ વિના કેમ કરી જીવશે ? પરસ્પર પ્રીત તો વેદ બોલે. ૩
અંબરીષ ભક્તની ભક્તિ જાણી-કરી, ચક્ર મેલ્યું ઋષિને ક્રોધ આણી,
શાપ તે આપ લીધો શિરે સંતનો, પ્રીતની રીત શ્રીમુખ વખાણી. ૪
માટે મારે મંન આનંદ અતિ, માધવ ! ચરણપ્રતાપે પદ-અભય પામ્યો,
સિંહને સંગ જંબૂક કેમ સોહશે ? નરસૈંયો ભવોભવ દુઃખ વામ્યો. ૫
પ્રણમું પ્રેમે પરિબ્રહ્મ પુરુષોત્તમને, દાસની વીનતી રુદે ધરજો,
આજ સમો, પ્રભુ ! આકરો આવિયો, નિજ ચરણ-શરણ-સંભાળ કરજો. ૧
વિવિધ લીલા મુનિજંન-મન-મોહિની, મહિમા અપાર તુજ કો ન જાણે,
રવિ-શશી-ઇન્દ્ર ને ઇસ-અજ અનુસરે, નિગમ, નારદ ને શરદ વખાણે. ૨
સંત સર્વજ્ઞ કહે : ધન્ય તું, શામળા ! તાહરે સંત છે પ્રાણ-તાલે,
જળચરાં જળ વિના કેમ કરી જીવશે ? પરસ્પર પ્રીત તો વેદ બોલે. ૩
અંબરીષ ભક્તની ભક્તિ જાણી-કરી, ચક્ર મેલ્યું ઋષિને ક્રોધ આણી,
શાપ તે આપ લીધો શિરે સંતનો, પ્રીતની રીત શ્રીમુખ વખાણી. ૪
માટે મારે મંન આનંદ અતિ, માધવ ! ચરણપ્રતાપે પદ-અભય પામ્યો,
સિંહને સંગ જંબૂક કેમ સોહશે ? નરસૈંયો ભવોભવ દુઃખ વામ્યો. ૫
0 comments
Leave comment