14 - કૃષ્ણ કૃપાનિધિ કેશવા ! કર કૃપા / નરસિંહ મહેતા
રાગ કેદારો
કૃષ્ણ કૃપાનિધિ કેશવા ! કર કૃપા, હું અનાથ, તું નાથ કહીએ,
ભૂપતિ ભૂલિયો, ભ્રમ મનમાં વસે, શામળા વિણ શરણ કેને જઈએ ? ૧
હું શરણ આવ્યો સંસારને પરહરી, તોહે મતિ-મંદ પેરે પેરે પીડે,
અંતરાગત અવિલોકતાં, શામળા ! તુજ વિના કોણ રુદિયા-શું ભીડે ? ૨
મંડળિક મુજ પર કોપ ઘણો કરે, તે મારું દુઃખ તું શું ન જાણે ?
ભણે નરસૈંયો : પ્રભુ ! પ્રીતડી તોડતાં લાજ જાશે, અલ્યા ! તારી વહાણે. ૩
કૃષ્ણ કૃપાનિધિ કેશવા ! કર કૃપા, હું અનાથ, તું નાથ કહીએ,
ભૂપતિ ભૂલિયો, ભ્રમ મનમાં વસે, શામળા વિણ શરણ કેને જઈએ ? ૧
હું શરણ આવ્યો સંસારને પરહરી, તોહે મતિ-મંદ પેરે પેરે પીડે,
અંતરાગત અવિલોકતાં, શામળા ! તુજ વિના કોણ રુદિયા-શું ભીડે ? ૨
મંડળિક મુજ પર કોપ ઘણો કરે, તે મારું દુઃખ તું શું ન જાણે ?
ભણે નરસૈંયો : પ્રભુ ! પ્રીતડી તોડતાં લાજ જાશે, અલ્યા ! તારી વહાણે. ૩
0 comments
Leave comment