24 - અરે કાનુડા ! આ માહરું મન ભમે / નરસિંહ મહેતા


રાગ કેદારો

અરે કાનુડા ! આ માહરું મન ભમે, તું રે જાણે : કાંઈ દાન આપે,
લાછવર લાલચી ! લાલચ કાં કરે ? રંકને, તસ્કર ! શું સંતાપે ? ૧

તાંદુલ લેઈ રિદ્ધિ વિપ્રને મોકલી, તેહનું ભવન કીધું વૈકુંઠ સરખું,
મારે તો દાન ને ગાન છે તાહરું, નિત્ય પ્રત્યે ગુણ ગઈ રે હરખું. ૨

મન મોટું કરી, હર કંઠે ધરી, હરખી વહેલા મંડપે આવો,
ભણે નરસૈંયો : રજની થોડી રહી, દુષ્ટના બંધ થકી મુને મુકાવો. ૩


0 comments


Leave comment