4.12 - કોણે રે ઓ ? શાને રે ઓ ? / સુંદરજી બેટાઈ
એ ગયા બુદ્ધ, મહાવીર, જિસસ, એ ગયા આપણા ગાંધી,
જગને આંગણ સદાદૂઝતી સદારિબાતી કામધેનુને બાંધી :
કામધેનુપય અવખ પડ્યું તે દીધ આમ શું છાંડી ?
બળબળતી મદિરાપ્યાલી મુખ સુખે રહે કાં માંડી ?
ડાહીડમરી લપઝપ-ડૂબી માનવતા શું ગાંડી ?
કોણે રે ઓ કલ્પવૃક્ષને મૂળે દીધી ટાંડી ?
શાને રે ઓ કલ્પવૃક્ષને દીધી રે વખટાંડી ?
એપ્રિલ ૧૯૭૫, નવી દિલ્હી
0 comments
Leave comment