34 - જન્મોનું ચકકર ..... / સ્નેહી પરમાર


હવે એ હદે જૂઠ થઈ ગયું છે સધ્ધર,
હવે રથ યુધિષ્ઠિરનો ચાલ ન અધ્ધર.

છતાં એ બની ગઈ છે આખ્ખીય અત્તર,
હજી તો થયાં છે એને માંડ સત્તર.

અમે લાગણીને ઉપાસી છે કાયમ,
પછીથી મળ્યું છે આ ગઝલોનું છત્તર.

તમારાથી અમથું જ વાંકું પડ્યું ત્યાં,
અમારા બધા ગ્રહ થઈ ગ્યા છે વક્કર.

તને મારી તાકાત સમજાઈ જાશે,
મને ભૂલવાની તું કોશિશ તો કર.

આ મરવુંય કેવું છે તકલાદી ‘સ્નેહી’
મરો તોય અટકે ન જન્મોનું ચકકર.


0 comments


Leave comment