શામળ ભટ્ટ

શામળ ભટ્ટ

જન્મ તારીખ :  આશરે 1694
જન્મ સ્થળ :  વેગણપુર (આજે અમદાવાદનું ગોમતીપુર)
મૃત્યુ તારીખ :  આશરે 1769
કુટુંબ :
પિતા : વીરેશ્વર
માતા : આનંદીબાઈ
જીવન ઝરમર :  ૧) તેમની પદ્યવાર્તા માટે જાણીતા છે
૨) તેઓ પરંપરાગત કથાકાર પુરાણી અને ભવૈયાઓની સ્પર્ધાને કારણે આર્થિક સંકડામણ અનુભવતા હતા.
૩) તેમણે તેમના પુરોગામીઓની કથાઓને નવા અર્થથી રજુ કરવાની શરુ કરી જેથી શ્રોતાઓનો રસ જળવાઈ રહે.
૪) તેઓ જમીનદાર રખીદાસની વિનંતી અને મદદથી સિંહુજ (હાલ મહેમદાવાદ પાસે) જઈ વસ્યા
પુસ્તક :
કાવ્યસંગ્રહ : શામળ ભટ્ટે ૨૬ જેટલી રચનાઓનું સર્જન કર્યું છે.
૧) સિંહાસન બત્રીસી (સિંહાસન દ્વાત્રિંશકા પરથી)
૨) વેતાળ પચ્ચીસી (વેતાલપંચવિન્શતિ પરથી)
૩) સુડા બહોતેરી (શુકસપ્તતિ પરથી)
૪) ભોજપ્રબંધ
૫) નંદબત્રીસી,
૬) શુકદેવાખ્યાન,
૭) રખીદાસ ચરિત્ર,
૮) વનેચરની વાર્તા,
૯) પંચદંડ,
૧૦) ભદ્રભામિની,
૧૧) રેવાખંડ,
૧૨) ચંદ્ર-ચંદ્રાવતી,
૧૩) મદનમોહના,
૧૪) પદ્માવતી,
૧૫) બરાસ-કસ્તુરી
૧૬) અંગદવિષ્ટિ,
૧૭) રાવણ-મંદોદરી સંવાદ,
૧૮) દ્રૌપદી વસ્ત્રાહરણ,
૧૯) શિવપુરાણ
૨૦) પતાઈ રાવળનો ગરબો,
૨૧) રણછોડજીના શ્લોકો,
૨૨) બોડાણાખ્યાન,
૨૩) ઉદ્યમકર્મસંવાદ
૨૪) શામળ રત્નમાલા
૨૫) વિશ્વેશ્વરાખ્યાન

વગેરે.....