
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી)
જન્મ તારીખ : | 01/26/1874 | ||||
---|---|---|---|---|---|
જન્મ સ્થળ : | લાઠી - જિ. અમરેલી | ||||
મૃત્યુ તારીખ : | 06/09/1900 | ||||
મૃત્યુ સ્થળ : | લાઠી - જિ. અમરેલી | ||||
કુટુંબ : |
|
||||
અભ્યાસ : | --> ૧૮૮૨-૧૮૯૦ રાજકુમાર કોલેજ, રાજકોટમાં અંગ્રેજી પાંચ ધોરણ સુધી --> અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ | ||||
જીવન ઝરમર : | --> ૨૧ વર્ષની વયે રાજ્યાભિષેક ( ૨૧મી જાન્યુઆરી ૧૮૯૫) --> નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌંદર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા --> માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા --> આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી --> રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં ૨૦ વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો --> શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર વરિષ્ઠ સાહિત્યકારોની સાથે મિત્રતા --> સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર --> ૧૬ થી ૨૬ વર્ષની ઉંમરનાં ૧૦ વર્ષના ગાળામાં જ ૫૦૦થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને ૨૫૦ થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘરેણા જેવી રચનાઓ કરેલી. (કાવ્યસર્જન ૧૮૯૨થી શરૂ થયેલ) --> મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હૃદયના ભાવો રહેલા છે; પત્ર-સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે; --> મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે. --> ૨૬ વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ. (જેના વિષે એમ કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું) | ||||
પુસ્તક : |
|